સુરતના કતારગામમાં સુરત મ્યુ.કોર્પોરેશને 79 ડાઈંગ મિલ સીલ કરી છે, અગાઉ ઉધના અને લિંબાયતમાં ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, ઉધના અને લિંબાયતમાં 136 ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, તપેલા ડાઈંગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

ગેરકાયદે રીતે ડ્રેનેજ કનેક્શનમાં પાઈપલાઈન નાખી

ડાઈંગ મિલમાં પાઈનલાઈન મારફતે કેમિકલયુક્ત પાણી છોડતા હતા જેના કારણે પાણીમાં પ્રદૂષણ વધતુ હતુ, ઉધના અને લિંબાયત બાદ કતારગામમાં પણ 79 ડાઈંગ મિલ કરાઈ સીલ, તમામ તપેલા ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપેલા ડાઈગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપ લાઈન નાખ્યું હતું અને તે પાઇપ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.

[[$alsoread]]

સુરત મનપા દ્વારા વધુ 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરાઈ હતી

ઉધના અને લિંબાયત વિસ્તારની 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, આ પેહલા ઉધના વિસ્તારની 22 તપેલા ડાઈંગ મિલ સીલ કરી હતી અને તે સાથે લિંબાયત વિસ્તારની પણ 37 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, તમામ તપેલા ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપેલા ડાઈગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપ લાઈન નાખી હતી અને તે પાઇપ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.

પાણીનું પ્રદૂષણ ઘટાડવા માટે મનપાનો નિર્ણય

તો મહત્વની વાત છે કે પાણીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, મનપાના અધિકારીઓનું કહેવું છે કે, જે પણ ડાઈંગ મિલમાં આ રીતે ડ્રેનેજ કનેકશનને જોડવામાં આવશે તે કનેકશનને કાપી નાખવામાં આવશે કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવશે, ઘણા મિલના માલિકો કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન સાથે તેમના મિલની પાઈપનું કનેકશન કરીને પાણી તેમાં છોડે છે એટલે ચોખ્ખા પાણીમાં ગંદુ પાણી ભેળસેળ થાય છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો પણ ફેલાય છે. 

  • Follow us on: