સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરેન્દ્રનગર મહાનગર પાલીકા દ્વારા રાષ્ટ્રધ્વજનું સન્માન અને રાષ્ટ્રભકિતનો ઉત્સાહ વધારવા વીવીધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં હેરીટેજ શહેર વઢવાણના ઐતિહાસીક સ્થળો ધોળીપોળ દરવાજો અને હવા મહેલને રોશનીનો શણગાર કરાયો હતો. તિરંગાના કલરની રોશનીથી ઝગમગતી આ ઐતિહાસીક ઈમારતોનો નજારો નીહાળવા લાયક રહ્યો છે.



  • Follow us on: