વડોદરા એરપોર્ટ ખાતેથી બહુપ્રતિક્ષિત એર કાર્ગો સેવાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આ મહત્વકાંક્ષી સેવાનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે આ સેવા શરૂ થતાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.
સમય અને વાહનવ્યવહાર ખર્ચમાં થશે મોટી બચત
અત્યાર સુધી વડોદરાના ઉદ્યોગકારોને હવાઈ માર્ગે માલસામાન મોકલવા કે મંગાવવા માટે અમદાવાદ કે મુંબઈ એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે સ્થાનિક કક્ષાએ જ એર કાર્ગોની સુવિધા ઉપલબ્ધ થતાં ઉદ્યોગપતિઓના સમય અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં નોંધપાત્ર બચત થશે, જેથી વેપાર-ધંધા વધુ સરળ બનશે.
