વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. ગત રોજ થયેલી મારામારી બાદ લૂખ્ખા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદની અદાવત રાખીને ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ મોડી રાત્રે ફરિયાદ કરનાર પરિવારના ઘરમાં ઘૂસીને મહિલાઓ પર જાનલેવા હુમલો કર્યો હતો.
ત્રણ વાહનો અને રિક્ષાના કાચ તોડી મચાવ્યો ઉત્પાદ
હુમલાખોરોએ માત્ર પરિવારજનો પર હુમલો કરીને જ શાંત નહોતા રહ્યા, પરંતુ ઘરની બહાર પાર્ક કરેલા ત્રણ જેટલાં વાહનો અને ઓટો રિક્ષાના કાચ તોડીને ભારે તોડફોડ મચાવી હતી. અચાનક થયેલા આ હુમલા અને તોડફોડને કારણે સમગ્ર અલવાનાકા વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
