વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ પરથી નીચે ઉતારેલું ટેન્કર આખરે તેના માલિકને પરત સોંપવામાં આવ્યું છે. આ ટેન્કરને સહીસલામત જોઇને તેના માલિક ભાવુક થઇ ગયા હતા અને તેમણે આ કામગીરીમાં મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો.
દુર્ઘટના બાદ બ્રિજ પરથી ઉતારાયેલું ટેન્કર
થોડા સમય પહેલા ગંભીરા બ્રિજ પર એક ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું અને બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવ્યું હતું. આ દુર્ઘટના બાદ ટેન્કરને બ્રિજના છેડે લાવીને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશ્વકર્મા કંપનીના કર્મચારીઓએ આ ટેન્કરને રિપેર કરીને ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવ્યું. આજે આ ટેન્કરને માલિકને પરત સોંપવામાં આવ્યું ત્યારે આંકલાવના મામલતદાર અને વિશ્વકર્મા કંપનીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
માલિકે વ્યક્ત કરી કૃતજ્ઞતા
પોતાનું ટેન્કર સહીસલામત રીતે પાછું મળતા માલિક ભાવવિભોર થઇ ગયા હતા. તેમને સરકાર, વહીવટી તંત્ર અને વિશ્વકર્મા કંપનીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરી માટે સક્રિય સહયોગ આપવા બદલ તેમણે મીડિયાના મિત્રોનો પણ આભાર માનતો હતો. માલિકે કહ્યું કે, જો મીડિયાનો સાથ ન મળ્યો હોત તો આ ટેન્કર બહાર આવવું મુશ્કેલ હતું. આ ઘટના દર્શાવે છે કે જ્યારે તંત્ર, ખાનગી કંપની અને લોકો સહિયારા પ્રયાસો કરે છે ત્યારે મુશ્કેલ કામ પણ સરળ બની શકે છે.









