નવા વર્ષની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાદ્યતેલના ભાવમાં 85 રુપિયા સુધીનો વધારો થયો છે. તેમજ પામોલિન તેલના ભાવમાં ડબ્બે 85 રૂપિયાનો વધારો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2155 આસપાસ પહોંચ્યો છે. સંગ્રહખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. તેમાં ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે.
નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર!













