- હાથ બનાવટ, વણાટ નીટિંગ, ટીચિંગ, ડાઈંગ વગેરે નીહાળ્યાં
- કેમિકલ દ્રારા માનવજીવનને ને પડતી ગંભીર અસરો વિશે ધ્યાન આકર્ષિત કરવામાં આવેલુ
- પદ્મશ્રી સુભાષ પાલેકર અને જાપાનના સ્ટુડન્ટ બહેનોએ ખાદી સંસ્થાની મુલાકાત લીધી
રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામધોગ સંસ્થાની પદ્મશ્રી સુભાષ પાલેકર અને જાપાનના સ્ટુડન્ટ બહેનોએ ખાદી સંસ્થાની મુલાકાત લીધી હતી.જાપાનીઝ સ્ટુડન્ટ બહેનોએ વુલન ખાદીની પ્રોડકટ પ્રોસેસ,વણાટ ની પ્રક્રિયા સ્થાનિક કેમ્પસમાં I.M.A તરફ્થી સ્પીનીંગ, વિવિધ પ્રોસેસ રૂબરૂ નિહાળી K.V.I.C દ્વારા ગ્રામ્ય રોજગારીમાં પ્રકતિક વાતાવરણમાં જોઈને પ્રભાવિત થયા હતા.
સાથે-સાથે પદશ્રી ડૉ. સુભાષ પાલેકરજી બોટાદના પ્રવાસ દરમ્યાન રાણપુરની ખાદી સંસ્થાની મુલાકાત કરી હતી.ઉની ખાદી પ્રોસેસ હાથથી બનાવટના ગુજરાત સરકારના ઉર્જા વિકાસ નિગમ દ્રારા મળેલ વુલનજર્શી ના ઓડેર GSECL, MGVCL , DGVCL તથા GETCO કંપની દ્રારા સ્થાનિક શુદ્ધ મેરીનો વુલન,સ્વેટર,શાલ, બ્લેન્કેટ જે હાથ બનાવટ, વણાટ નીટીંગ, ટીચિંગ, ડાઈન્ગ નિહાળેલ તથા બેહનોને પરિશ્રામાલય મા મળતી રોજગારી ની જાત માહિતી મેળવી હતી.










