પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરા વિસ્તારની પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજન તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.સુથારીપુરાની પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી હતી. જેને લઈને નવા ઓરડાના બાંધકામ માટે ટેન્ડર પાસ થતા તાજેતરમાં ખાતમુહૂર્ત કરાતાં લોકોમાં આનંદ વ્યાપ્યો છે.
સુથારીપુરા પ્રાથમિક શાળાના ઓરડાનું નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી બિલ્ડીંગના 6 ઓરડા માટે અંદાજીત રૂા. 56 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ છે. આથી જુના પ્રાથમિક શાળાનું મકાન તોડી પાડયા બાદ ઘણો સમય વિતવા છતાં નવા ઓરડાનું બાંધકામ હાથ ન ધરાતાં સુથારીપુરાના વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુથારીપુરા પ્રાથમિક શાળાની સમસ્યા લઈને પાદરા તાલુકાના અન્ય શાળામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે વાતની ચૈતન્યસિંહ ઝાલાને જાણ થતાં તેમણે ટેન્ડર પાસ કરાવી બાળકોને નવા મકાન સુવિધા મળે તે તેવા પ્રયત્ન સાથે તાજેતરમાં ખાતમુહૂર્ત કરાયું હતું. જે પ્રસંગે ગ્રૂપ શાળાના આચાર્ય લક્ષ્મણભાઇ વાગડા, ભાજપના કારોબારી અધ્યક્ષ લાલજીભાઈ વકીલ, ભાજપના જિલ્લા મહામંત્રી સંજય પરમાર, યુવા ભાજપા પ્રમુખ મૌલિક ગોહિલ, શિક્ષણ સંઘના પ્રમુખ રાહુલ પટેલહાજર રહ્યાં હતા.










