બનાસકાંઠા જિલ્લાના તમામ દિવ્યાંગ ભાઈઓ-બહેનોને એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટીફિકેટ અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી જિલ્લામાં 713 દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને 6 જેટલા કેમ્પનું આયોજન હાથ ધરાયું છે.તેમણે કહ્યું કે દિવ્યાંગ લોકોને કોઈપણ પ્રકારના મુશ્કેલી ના પડે અને તેમને સહેલાઈથી સરકારી યોજનાઓના લાભ મળી રહે તે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન હાથ ધર્યું છે.આ કેમ્પમાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે દિવ્યાંગ ભાઈઓ-બહેનોને સરકારના વિવિધ લાભ મળી રહે તે માટે પ્રથમ કડી કોઈ હોય તો તે દિવ્યાંગતા સર્ટીફિકેટ છે.આ માટે જિલ્લામાં એક જ સ્થળેથી સર્ટીફિકેટ મળી રહે તે મુજબનું આયોજન કરાયું છે.આ કેમ્પ થકી જિલ્લાના દિવ્યાંગ લોકોને વધુમાં વધુ લાભ લેવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો હતો.આ કેમ્પમાં ડીસાના લાભાર્થી ભાવેશભાઈએ જણાવ્યું કે વર્ષો પહેલા બીમારીના હિસાબે તેઓ બંને પગે ચાલી શકતા નથી.દિવ્યાંગતા સર્ટીફિકેટ કઢાવવા માટે પ્રયત્નો કર્યા અને છેલ્લે આ સેવા કેમ્પ થકી મારું દિવ્યાંગતા સર્ટીફિકેટ મને મળ્યું છે તે બદલ તેઓ સરકારનો આભાર વ્યક્ત કરે છે.સેવા સેતુ કાર્યક્રમ અન્વયે જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા કુલ 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળઅ કરાઈ છે.જેમાં ડીસા અને પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું.










