ભાવનાગરમાં આવેલા પાલીતાણા ખાતે આવેલ કાલભૈરવ મંદિર ખાતે 'યજ્ઞ ભારત' થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. કાલભૈરવ મંદિરે 'યજ્ઞ ભારત' થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ભારતમાં બે જ પ્રાચીન કાળભૈરવ મંદિર આવેલા છે જેમાં પહેલું ઉજ્જૈન મહાકાલ મંદિર તેમજ બીજું ગુજરાતમાં આવેલું પાલીતાણા નું કાલભૈરવ મંદિર ત્યારે કાળી ચૌદશના દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં મહા યજ્ઞ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે ત્યારે પાલીતાણા ખાતે કાલભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ કાલ રાત્રી તા 31 ને ગુરુવારના રોજ મહાયજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે.













