ભાવનાગરમાં આવેલા પાલીતાણા ખાતે આવેલ કાલભૈરવ મંદિર ખાતે 'યજ્ઞ ભારત' થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. કાલભૈરવ મંદિરે 'યજ્ઞ ભારત' થીમ અંતર્ગત કાળી ચૌદશની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


ભારતમાં બે જ પ્રાચીન કાળભૈરવ મંદિર આવેલા છે જેમાં પહેલું ઉજ્જૈન મહાકાલ મંદિર તેમજ બીજું ગુજરાતમાં આવેલું પાલીતાણા નું કાલભૈરવ મંદિર ત્યારે કાળી ચૌદશના દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં મહા યજ્ઞ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમમાં કરવામાં આવતા હોય છે ત્યારે પાલીતાણા ખાતે કાલભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ કાલ રાત્રી તા 31 ને ગુરુવારના રોજ મહાયજ્ઞ, મહાઆરતી સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે. 

કાલભૈરવ મંદિર ખાતે આ વર્ષે યજ્ઞભારત થીમ અંતર્ગત કાલભૈરવ મહાયજ્ઞ કરવામાં આવશે આ યજ્ઞ ભારત દેશની સુરક્ષા અને સમગ્ર રાષ્ટ્રની ચેતના અર્થે ભારતના વીર ફોજી જવાનોની ઉર્જા શક્તિ માટે કરવામાં આવશે જેમાં પાલીતાણા ખાતે હજારોની સંખ્યામાં ભક્તો કાળી ચૌદશ કાલ રાત્રીએ દર્શનનો લાભ લેશે તેમજ સમગ્ર રાષ્ટ્રની ચેતના અર્થે ભારતના વીર ફોજી જવાનોની ઉર્જા શક્તિ માટે કાલભૈરવ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દર વર્ષે દર્શન ખાતે આવે છે અને યજ્ઞમાં આહુતિ આપે છે ત્યારે પાલીતાણામાં 31 તારીખ કાલ રાત્રિના દિવસે મોટી સંખ્યામાં લોકો કાલભૈરવ મંદિર ખાતે યજ્ઞમાં આહુતિ આપવા ઉમટી પડશે ત્યારે કાલભૈરવ મંદિર મહંત રમેશભાઈ શુક્લ દ્વારા પણ લોકોને કાલરાત્રીના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા આહવાન કરવામાં આવ્યું છે

  • Follow us on: