• પીયૂષ ગોયલ મુંબઈના પોઈનસુર જિમખાનામાં યોગ કરવા માટે સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાયા
  • અમને પીએમ મોદીના કાર્ય અને નેતૃત્વના આશીર્વાદ મળી રહ્યા છે
  • સાંસદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઉજ્જવલ નિકમને ટિકિટ આપીને ખૂબ જ સારો નિર્ણય લીધો

કેન્દ્રીય પ્રધાન અને મુંબઈ ઉત્તરના ભાજપના ઉમેદવાર, પીયૂષ ગોયલ તેમના ચૂંટણી પ્રચારના ભાગરૂપે મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા ગાર્ડનમાં લોકો વચ્ચે જઇ વાતચીત કરી તેમજ યોગ કરી લોકોને મતદાન માટે જાગૃત કર્યા હતા. પીયૂષ ગોયલ મુંબઈના પોઈનસુર જિમખાનામાં યોગ કરવા માટે સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાયા હતા.

અમે બધા પાર્ટીના કાર્યકર્તા છીએ

[[$googlead]]

[[$alsoread]]

કેન્દ્રીય પ્રધાન અને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પીયૂષ ગોયલ કહે છે, "અમને પીએમ મોદીના કાર્ય અને નેતૃત્વના આશીર્વાદ મળી રહ્યા છે... ડ્રેનેજના પ્રશ્નો હવે ઉકેલાઈ જશે... આખરે, મુંબઈગરાઓ ખુશ છે કે મુંબઈને વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે..."

ગોયલે કહ્યું કે તેમને લોકો તરફથી સારું સમર્થન મળી રહ્યું છે

મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી અંગે પીયૂષ ગોયલ કહે છે, "અમે બધા પાર્ટીના કાર્યકર્તા છીએ. અમને સમયાંતરે અલગ-અલગ ફરજો નિભાવવા મળે છે. આ ભાજપની તાકાત છે કે આપણે બધા પાર્ટીના કાર્યકર્તા છીએ. પક્ષ ગોપાલ શેટ્ટી (મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ) નું વધુ યોગદાન નક્કી કરશે."

આ દરમિયાન ગોયલે કહ્યું કે તેમને લોકો તરફથી સારું સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે એક રાજકીય કાર્યકર તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા અમને સેવક તરીકે કામ કરવાની પ્રેરણા આપી છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યો છે.

ઉજ્જવલ નિકમ પર ગોયલે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આતંકવાદને ખતમ કરવા જે લડાઈ હાથ ધરવામાં આવી છે તેમાં ઉજ્જવલ નિકમ સંસદમાં તેમના બુલંદ અવાજ સાથે અમારું સમર્થન કરશે. સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપીને ઉજ્જવલ નિકમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉત્તર મુંબઈમાં ખૂબ જ સરસ વાતાવરણ

દરમિયાન સાંસદ ગોપાલ શેટ્ટીએ કહ્યું કે ઉત્તર મુંબઈમાં ખૂબ જ સારું વાતાવરણ છે. ગત વખત કરતા આ વખતે સારું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજથી પ્રથમ પ્રચાર રાઉન્ડ શરૂ થયો છે. તેમણે કહ્યું કે પીયૂષ ગોયલ વિશે લોકો જે વાતો કરી રહ્યા હતા તે તેઓ ખોટા સાબિત કરશે.

ભાજપે સારો નિર્ણય લીધો છે

સાંસદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ઉજ્જવલ નિકમને ટિકિટ આપીને ખૂબ જ સારો નિર્ણય લીધો છે. તેમના જેવા દેશભક્ત સંસદમાં પ્રવેશ્યા બાદ સંસદનું ગૌરવ વધશે. તેમણે આતંકવાદ વિરુદ્ધ જે કામ કર્યું છે તેનાથી તેમને સમગ્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળ્યું છે.


  • Follow us on: