• સરદાર પટેલ જલ્દી જતા રહ્યા તેનાથી દેશને મોટું નુક્સાન થયુ: PM Modi
  • મારો પ્રયત્ન છે કે સરદાર સાહેબના સપના પૂર્ણ કરુ
  • કોંગ્રેસના શહઝાદા બંધારણ માથા પર મૂકી નાચી રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે બીજા દિવસે વડાપ્રધાને આણંદના શાસ્ત્રી મેદાનમાં જનસભાને સંબોધન કરી છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે એક ચાવાળા ગુજરાતીએ અર્થતંત્રને 5મા ક્રમે પહોંચાડ્યુ છે.

સરદાર પટેલ જલ્દી જતા રહ્યા તેનાથી દેશને મોટું નુક્સાન થયુ

[[$googlead]]

સરદાર પટેલ જલ્દી જતા રહ્યા તેનાથી દેશને મોટું નુક્સાન થયુ છે. મારો પ્રયત્ન છે કે સરદાર સાહેબના સપના પૂર્ણ કરુ. કોંગ્રેસના શહઝાદા બંધારણ માથા પર મૂકી નાચી રહ્યા છે. આતંકના આકા દેશને પણ આપણે બરાબર પાઠ ભણાવ્યો છે. એ દેશ આજે લોટ માટે દર દર ભટકી રહ્યો છે. જેના હાથમાં બોમ્બ ગોળો હતો, તેના હાથમાં ભીખનો કટોરો છે. કોંગ્રેસની સરકાર આતંકના આકાઓને ડોઝિયર આપતી હતી.

[[$alsoread]]

અમે આતંકીઓને ઘરમાં ઘુસીને મારીએ છીએ

અમે ડોઝિયરમાં ટાઇમ બરબાર નથી કરતા. અમે આતંકીઓને ઘરમાં ઘુસીને મારીએ છીએ. કલમ 370 હટાવી સરદારને શ્રદ્ધાંજલિ આપી છે. દેશમાં કોંગ્રેસ મરી રહી છે, પાકિસ્તાન રડે છે. પાકિસ્તાન શહઝાદાને PM બનાવવા ઉતાવળી બની છે. કોંગ્રેસ તો પાકિસ્તાનની મુરીદ છે જ. દેશના દુશ્મનોને ભારતમાં મજબુત સરકાર નથી જોઇતી. દેશના દુશ્મનોને નબળી સરકાર જોઇએ છે. એમને એવી સરકાર જોઇએ જેમાં 26 - 11 જેવા હુમલા થઇ શકે.

કોંગ્રેસ મહોબતની દુકાનમાં ફેક સામાન વેચે છે

આજે ભારતની મજબુત સરકારને દેશ ઓળખે છે. વિશ્વમાં ઝઘડા થાય તો ભારતને ઉકેલ લાવનારો દેશ મનાય છે. ભારત - યુક્રેનના યુદ્ધમાં ભારતનો તિરંગો પાસપોર્ટ બન્યો છે. પાકિસ્તાનીઓ પણ તિરંગો બતાડી ત્યાંથી નીકળતા હતા. કોંગ્રેસ દેશને બે ભાગમાં વહેંચવા માગે છે. કોંગ્રેસ મહોબતની દુકાનમાં ફેક સામાન વેચે છે. કોંગ્રેસ ખૂબ હતાશ થઇ ગઇ છે. કોંગ્રેસે મુસ્લિમ લીગ સાથે પોતાનો જોડી દીધી. 60 વર્ષ સુધી જે લોકોની પરવાહ ન કરી તેમની હવે વાત કરે છે. મોદીએ 25 કરોડ ગરીબોને ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. કોંગ્રેસ દરેક ચૂંટણીમાં એક જ મંત્ર બોલે છે, ગરીબ.. ગરીબ. મોદીએ ગરીબોના આંસૂ લુછ્યા, પાકા ઘર આપ્યા છે. મોદી ગરીબને ઘર આપે છે તો નવું જીવન આપે છે.

સરદારની ભૂમિ પરથી ત્રણ પડકાર આપું છુ

મોદી ગરીબને ઘર આપે છે તો તેના સપનાને સાકાર કરે છે. ગરીબોને એક સરનામું મળ્યું છે. ગરીબોએ એ સરનામા પર મોદીનું નામ લખી નાખ્યું છે. કોંગ્રેસે SC, ST, OBC સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસે હંમેશા ST, SC, OBC સાથે અન્યાય કર્યો છે. ST, OBC, SC માટેની દરેક દરખાસ્ત કોંગ્રેસે ફગાવી છે. એટલે જ ST, SC, OBC ભાજપની તાકાત બન્યા છે. કોંગ્રેસે આદિવાસી સમાજ સાથે પણ અન્યાય કર્યો છે. ભાજપ સરકારે આદિવાસી સમાજનો વિકાસ કર્યો છે. કોંગ્રેસને આવનારા 100 વર્ષ સુધી કોઇ કિનારો નથી દેખાતો. કોંગ્રેસ ગરીબોને, આદિવાસીઓને નફરત કરે છે. કોંગ્રેસની ST, SC, OBC વોટબેંક જતી રહી છે. કોંગ્રેસ રોજ મોદીને નવા અપશબ્દો બોલે છે. સરદારની ભૂમિથી શાહી પરિવારને પડકારું છુ. શાહી પરિવારના શહઝાદાને પ઼ડકારું છુ. 

વોટ જેહાદની વાત કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ

કોંગ્રેસ ગેરંટી આપે કે ધર્મના આધારે મુસ્લિમોને આરક્ષણ નહીં આપે. કોંગ્રેસ ગેરંટી આપે કે દેશને વહેંચવાનું કામ ન કરે. કોંગ્રેસ ગેરંટી આપે કે તે અનામત સાથે છેડછાડ નહીં કરે. કોંગ્રેસની સરકારવાળા રાજ્યો વોટ બેંકની ગંદી રાજનીતિ ન કરે. અનામતનો ક્વોટા કાપીને મુસ્લિમોને અનામત ન આપે કોંગ્રેસ. શહજાદા આવી જાવ, મારા આ પડકારો સ્વીકારો. બંધારણ માથે મૂકીને નાચવાથી કંઇ ન થાય. ઇન્ડી ગઠબંધનની પોલ તેમના જ નેતાએ ખોલી દીધી છે. ઇન્ડી ગઠબંધને લોકોને વોટ જેહાદ કરવાનું કહ્યું છે. ઇન્ડી ગઠબંધને મુસ્લિમોને તેમને મત આપવા કહ્યુ છે. કોંગ્રેસના એક પણ નેતાએ આ વોટ જેહાદનો વિરોધ નથી કર્યો. વોટ જેહાદની વાત કોંગ્રેસની તુષ્ટીકરણની રાજનીતિ છે.


  • Follow us on: