દ્વારકા જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.ખંભાળીયા જામનગર નેશનલ હાઈવે પર બુલડોઝર ફરી વળ્યું છે,ભૂ-માફિયાઓ દ્રારા સરકારી જમીન પર હોટલ બાંધી દેવામાં આવી હતી જેને લઈ અવાર-નવાર કલેટરે અને મામલતદારે નોટીસ પણ મોકલી હતી તેમ છત્તા જગ્યા ખાલી ના કરતા બુલડોઝર ફેરવીને દબાણ દૂર કરાયું હતુ.
સરકારી જમીનો પર કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ
ગેર કાયદેસર બાંધકામને લઈ સરકાર એલર્ટ બની છે,ગીરસોમનાથ,જૂનાગઢ,દ્રારકા,કચ્છમાં સૌથી વધારે ગેરકાયદેસર બાંધકામ થયા હોવાની માહિતી સામે આવી છે જેમાં સરકાર દ્રારા અને કલેકટર દ્રારા ગેરકાયદેસર બાંધકામને લઈ અવાર-નવાર નોટીસો આપવામાં આવે છે તેમ છત્તા બાંધકામ દૂર કરવામાં આવતું નથી જેને લઈ બુલડોઝર દ્રારા દબાણ દૂર કરી જમીનને ખુલ્લી કરવામાં આવે છે,ખંભાળીયા-જામનગર હાઈવે પર ગેરકાયદેસર બાંધકામ કરીને હોટલ ચલાવવામાં આવતી હતી.

જમીન કરાઈ ખુલ્લી
ખંભાળિયા-જામનગર નેશનલ હાઇવે પર આવેલ ગેર કાયદેસર બાંધકામ કરી હોટલ ઉભી કરી દેવામાં આવી હતી જેને લઈ આજે ડિમોલિશન હાથધરવામાં આવ્યું હતુ,પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં આ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ,નોટીસ આપી પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવામાં આવી ન હતી જેને લઈ ડિમોલિશનની કામગીરી હાથધરવામાં આવી હતી.હાઈવે પરની જગ્યાઓ પર બાંધકામ કરવામાં આવ્યુ હતુ.અગાઉના સમયમા પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે અને જે પણ લોકોએ સરકારી જમીન દબાવી પાડી હશે તે બાંધકામને દૂર કરવામાં આવશે.
11 માર્ચ 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર
દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી તંત્રએ પુરજોશમાં શરૂ કરી છે. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર ત્રણ મદરેસાઓ પર પણ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી, અને આ તમામને તોડી પડાઇ હતી.









