- શોરૂમમાં મૂકેલું ફર્નિચર આગમાં સ્વાહા
- રાજકમલ ફર્નિચરના શોરૂમમાં લાગી આગ
- 3 માળનું સમગ્ર બિલ્ડિંગ આગની ચપેટમાં
રાજકોટમાં ફરી એક વાર ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એક ફર્નીચરના શો રૂમમાં આગ લાગવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં શોરૂમમાં રાખવામાં આવેલું ફર્નીચરમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. અચાનક ફાટી નીકળેલી આગને કારણે 3 માળનું આખું બિલ્ડીંગ આગની ચપેટમાં આવી ગયું હતું.
આગ લાગવાને કારણે તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગને નિયંત્રિત કરવા માટે ફાયરના જવાનોને ભારેજહેમત ઉઠાવવી પડી રહી છે. તો, આગ કયા કારણોસર લાગી તે હજુ સામે આવ્યું નથી.










