રાજકોટ જિલ્લામાં રાજપરાના ખેડૂતે જામકંડોરણાના મધુવન એગ્રોમાંથી ખરીદેલા DAP ખાતરમાંથી કાંકરા-પથ્થર નીકળતા રોષ વ્યાપ્યો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતીમાં એક કહેવત છે ખાતર પડવું, જેનો અર્થ થાય છે કે ઘરમાં દીવાલમાં બાકોરું પાડીને ચોરી થવી. પણ, જામકંડોરણામાં ખેડૂતો સાથે ખાતર લેવામાં જ ખાતર પાડવાની ઘટના બની છે. મોંઘામૂલા એવા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યાનો બનાવ બનતા ખડૂતોમાં રોષમાં ભરાયા છે.













