- રાજકોટમાં કેદી સિવિલ હોસ્પિટલમાંથી થયો રફૂચક્કર
- અબ્દુલ નામનો કેદી 2 દિવસથી સિવિલમાં હતો દાખલ
- પોલીસે અબ્દુલને શોધવા ચક્રો ગતિમાન કર્યા
રાજકોટમાં ભરણપોષણનાં કેસનો કેદી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટયો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી અબ્દુલ નામનો કેદી 2 દિવસથી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ આરોપી પોલીસને ચકમો આપીને રફૂચક્કર થઇ ગયો છે. પોલીસે અબ્દુલને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યમાં ક્રાઇમ રેટ વધવા લાગ્યો છે. અનેકવાર હત્યા, લૂંટ, મડરનું કાવતરું, બળાતકાર સહિતના ગુનાઓ દિવસેને દિવસે વધી જાય છે. પોલીસ તંત્રની અથંગ મહેનત કર્યા બાદ આરોપી પકડાતો હોય છે. પરંતું આરોપીને જેલમાં કેદ કર્યા બાદ પણ આરોપીઓ જેલમાંથી ભાગવા માટે અનેક પ્રયાસો કરતા હોવાના કિસ્સાઓ આવતા હોય છે. તેવામાં રાજકોટમાંભરણપોષણના કેસનો અબ્દુલ નામનો કેદી રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થતા પોલીસને દોડતી કરી છે.













