• કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજકોટમાં કર્યું રોકાણ
  • અગ્નિકાંડ મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે મેળવી માહિતી
  • રાજકોટ CP, કલેક્ટર, મ્યુનિ.કમિશનર સાથે કરી ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતા. ત્યારે અમિત શાહ 40 મિનિટનું રોકાણ કર્યું હતું અને હિરાસર એરપોર્ટ ખાતે TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ અંગે તમામ માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈ સાથે વાતચીત કરી હતી.

અગ્નિકાંડ મુદ્દે ચાલી રહેલી તપાસ અંગે મેળવી માહિતી

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારના આદેશ બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અગ્નિકાંડની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. માહિતી મુજબ, અમિત શાહે રાજકોટ ખાતે 40 મિનિટ સુધી રોકાણ કર્યું હતું.

હિરાસર એરપોર્ટ પર અમિત શાહે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુ. કમિશનર ડી.પી.દેસાઈ સાથે અગ્નિકાંડની તપાસ અંગે તમામ માહિતી મેળવી હતી.

  • Follow us on: