- ખાંટિયાવાંટ ખાતે બાઇક અકસ્માતમાં મોત થતા પરિવાર અટવાયો
- તાલુકામાં ખોટકાઇ ગયેલી આરોગ્ય વ્યવસ્થાથી લોકોમાં ભારે નારાજગી
- રાત્રીના એક વાગ્યાથી તેઓના સગા-સંબંધી ત્યાં બેસી રહ્યાં હતા
કવાંટના ખાંટિયાવાંટ ખાતે અકસ્માતમા ધનપુરના ચંદ્રકાન્ત છત્રસિંહ કોલચાનું મોત થયું હતું. જેઓને ક્વાંટ સામૂહિક કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે રાત્રે એક વાગ્યાની આસપાસ લવાયા હતા. જે માટે લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવા છતા બીજા દિવસે પણ કલાકો સુધી પીએમ ન કરાતા મૃતકના સંબંધીઓ રોષે ભરાયા હતા.
કવાંટ તાલુકાના ખાંટિયાવાંટ જલારામ મંદિર પાસે ધનપુર ગામના ચંદ્રકાન્ત છત્રસિંહ કોલચા બાઇક પર તેઓ આવતા હતા. ત્યારે બીજા બાઇક સવારે અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ 108ને ફોન કરતા 40થી 45 મિનિટ બાદ 108 એમ્બ્યુલન્સ આવી જેમા તેને બોડેલી લઈ જવાયો હતો. ત્યાં તેને મૃત જાહેર કરતા તેઓના મૃતદેહને કવાંટ સામુહિક કેન્દ્ર ખાતે PM માટે રાત્રે 1 વાગ્યાની આસપાસ લવાયા હતા. રાત્રીના એક વાગ્યાથી તેઓના સગા-સંબંધી ત્યાં બેસી રહ્યાં હતા. સવારે PM માટે 9:30 વાગ્યાની આસપાસ તાલુકા હેલ્થ ઓફ્સિરને ફોન કરીને કહ્યું કે, ખાંટિયાવાંટ PHCના મેડિકલ ઓફ્સિરને PM માટે મોકલો છતાં 11:30 કલાક સુધી પોલીસ અને મામલતદાર આવ્યા છતાં ડોક્ટર પહોંચ્યા ન હતા.










