• ધરતી માથે હેમર હાલશે, સુના નગર મોઝાર, લખમી લૂંટાશે લોકો તણી નહીં એની રાવ ફરિયાદ

  • સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેવું કહેતાં લોકો માની શકતા ન હતા
  • દશનામ સાધુના 12મા વંશજ હાલ દેવરાજધામ ખાતે ભક્તિ અને ભજનની ધૂણી ધખાવી રહ્યા છે

700 વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિતની મોડાસાના બાજકોટ ખાતે સમાધિ આવેલી છે. કોરોનામાં જ્યારે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગી ગયું અને રસ્તાઓ સૂમસામ બની ગયા ત્યારે સાત દાયકા અગાઉ સંત દ્વારા કરવામાં આવેલી સુનાનગર અને મોઝાર આગહી અક્ષર : સાચી પડી. આ સિવાય દેવાયત પંડિતે કરેલી અનેક અગમવાણી સાચી પડી છે. બાજકોટ ખાતે આવેલ દેવરાજધામ અરવલ્લી, સાબરકાંઠા સહિતના આસપાસના જિલ્લાના શ્રાદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

જૂનાગઢના વંથલી ગામે જન્મેલ દેવાયત પંડિતે રાજસ્થાન, કચ્છ, ગોહિલવાડ સહિતના વિસ્તારોમાં અધ્યાત્મના પ્રચાર માટે પરિભ્રમણ કર્યું હતું. જ્યારે 700 વર્ષ અગાઉ મોડાસાના બાજકોટ ખાતે આવેલ દેવરાજ ટેકરી ઉપર ખાતે વસતા હતા અને જીવિત સમાધિ લેતા પહેલાં પત્ની દેવલ દેને આગમવાણી કહી હતી. સાત દાયકા પહેલાં આ સંતે કળિયુગમાં આવા દિવસો આવશે તેવું કહેતાં લોકો માની શકતા ન હતા. પરંતુ જ્યારે વર્ષો વિતતા ગયા તેમ દેવાયત પંડિતની તમામ અગમવાણી સાચી પડતી ગઈ. ધરતી માથે હેમર હાલશે, સુના હશે નગર અને મોઝાર, લખમી લૂંટાશે લોકો તણી નહિ એની રાવ કે ફરિયાદ જેવી આગાહી જ્યારે કોરોના કાળમાં 24 કલાક ધમધમતા શહેરોમાં સન્નાટો છવાઈ જતાં અક્ષર સાચી પડી હતી. મોડાસાના દેવરાજધામ ખાતે હાલ રાજસ્થાનના કાંકરોલીથી દેવાયત પંડિત સાથે આવેલા દશનામ સાધુના 12મા વંશજ ધનેશ્વરગિરિ મહારાજ ભજન અને ભક્તિની ધૂણી ધખાવી રહ્યા છે. ધર્મની સાથે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ દેવાયત પંડિતની જિવીત સમાધિના સ્થળ દેવરાજધામ ખાતે ચાલી રહી છે.

કુંવારીકા જગ્યાએ દેવાયત પંડિતે જિવીત સમાધી લીધી, તે જગ્યા આસ્થાનું પ્રતિક બન્યુ

દેવરાજ મંદિરના મહંત ધનેશ્વરગિરિ મહારાજે અરવલ્લી અને સાબરકાંઠાના ગામડાઓમાં જ્યોત પાઠ, ભજન સત્સંગ કરી લોકોમાં ધાર્મિકતા વધારી છે. ધર્મના પ્રચાર પ્રસાર સાથે વ્યસનમુક્તિનું પણ અભિયાન ચલાવાતા હજારો લોકો વ્યસનના દૂષણમાંથી મુક્ત થયા છે. આજે અરવલ્લીના અનેક ગામોના લોકોએ ભક્તિના માર્ગે વળી વ્યસનને તિલાંજલિ આપી છે.

દર મહિનાની સુદ, બીજ, પૂનમનો અનોખો મહિમા

મોડાસાના દેવરાજધામ ખાતે દર મહિનાની બીજના દિવસે સત્સંગ, ચાર પહોર ભજન, ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના અનેક વિસ્તારો અને રાજસ્થાનમાંથી હજારોની સંખ્યામાં શ્રાદ્ધાળુઓ આવે છે અને દેવાયત પંડિતની સમાધીએ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ જગ્યાએ અનેક પૌરાણિક વસ્તઓનો સંગ્રહ કરવામાં આવેલ છે. સાથે જ લાઇબ્રેરીમાં તમામ ધર્મના પુસ્તકો રાખવામાં આવેલા છે. પૂનમના દિવસે પણ ભજન, સત્સંગ કરી ઉજવણી કરવામાં આવે છે. મેડિકલ કેમ્પ સહિતના સેવાલક્ષી કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.


  • Follow us on: