• દાદાને કરાયો વિશેષ શણગાર
  • જાંબુનો પ્રસાદ ભકતોને અપાશે
  • દાદાને અલગ-અલગ તહેવાર મુજબ ધરાવાય છે પ્રસાદ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરેઅષાઢી બીજ નિમિત્તે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાને 500 કિલો જાંબુનો અન્નકુટ ધરાવાયો છે અને હનુમાનજી દાદાની મૂર્તિને રથયાત્રા પ્રતિકૃતિ બનાવી શણગાર કરવામાં આવ્યો છે.

દાદાને વિશેષ શણગાર

વહેલી સવારથી ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગાર અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ આવેલું છે. અહીં કષ્ટભંજન હનુમાનજી મંદિર જે વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે પ્રચલિત છે. ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મંદિરે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.


500 કિલો જાંબુનો પ્રસાદ

કષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે કષ્ટભંનજન દેવને રથયાત્રાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.તેમજ સવારે 5:45 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને જાંબુડાનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


રથયાત્રાનો રથ તૈયાર કરાયો

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાને આજે 500 કિલોનો અન્નકૂટ ધરાવાયો છે. તેમજ મંદિરનાં ગર્ભગૃહમાં હનુમાનજી દાદાની મૂર્તિને ભગવાન શ્રી જગન્નાથજી પોતાનો રથમાં બેસીને નગર ચર્યાએ નિકળશે તે આબેહૂબ રથયાત્રાની પ્રતિકૃતિ બનાવીને હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યાં છે.

  • Follow us on: