• કાંકરિયાથી સાળંગપુર મંદિર પહોંચાશે હેલિકોપ્ટરથી
  • દેવ મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ બનાવાયા
  • યાત્રાધામ બોર્ડ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

સાળંગપુરમાં વિરાજિત કષ્ટભંજન દેવ હનુમાનજી રાજ્યનું પહેલું એવું મંદિર બન્યું છે, કે જેમાં હેલિકૉપટરથી દર્શનનો લાભ લઈ શકાશે. યાત્રાધામ બોર્ડ દ્વારા એક હાઇટેક સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પછી આખા ગુજરાતના યાત્રાધામ માંથી પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર માટે અમદાવાદથી ડેઈલી હેલિકોપ્ટર રાઇડ સેવા શરૂ કરવામાં આવશે.આગામી દિવસમાં યાત્રા ધામ વિકાસ બોર્ડનો અંબાજી,શ્રીનાથજી,પાલીતાણા,સાળંગપુર, સોમનાથ,વડનગર,નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રા ધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે.


હેલિકોપ્ટર સેવા થશે શરૂ

અમદાવાદ કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે.


અગામી સમયમાં વધુ જગ્યાએ હેલિકોપ્ટર સેવા થશે શરૂ

આગામી દિવસમાં યાત્રા ધામ વિકાસ બોર્ડનો અંબાજી,શ્રીનાથજી,પાલીતાણા,સાળંગપુર, સોમનાથ,વડનગર,નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રા ધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. ઉલ્લેખનિય છે કે, બેઝડ એરોટ્રાન્સ કંપની દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદ થી માત્ર 40 મિનિટ માં સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકાશે.


  • Follow us on: