સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી રદ કરાઈ છે જેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે તો સ્ટાફની ભરતી રદ કરાઈ છે જેને લઈ ઉમેદવારો હજુ અજાણ છે.4 હજારથી વધુ ઉમેદવારો અજાણ હોવાની વાત સામે આવી છે જેમાં કુલ 54 જગ્યાઓ પર ભરતી રદ કરવામાં આવી છે.રજિસ્ટ્રેશન માટે ઉમેદવાર દીઠ 300 લેવાયા હતા અને ઉઘરાવેલા કુલ 12 લાખ પરત આપવાના પણ બાકી નીકળે છે.
બે વર્ષ પહેલાં આવેલી ભરતી પરીક્ષા ટાણે રદ કરાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની ભરતી રદ કરવામાં આવી છે જેને લઈ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.દર વર્ષે ઓગસ્ટ મહિનામાં થઈ જતી એક્સટર્નલમાં પ્રવેશની પ્રક્રિયા નવેમ્બરના 13 દિવસ બાદ પણ શરૂ થઈ શકી નથી.જ્યારે ઇન્ચાર્જ કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે, આ મુદ્દો આગામી સમયમાં મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં એજન્ડા સ્વરૂપે લેવામાં આવશે, જો મંજૂરી નહીં મળે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાકાળથી એટલે કે, વર્ષ 1972થી ચાલતો એક્સટર્નલ અભ્યાસક્રમ બંધ થઈ જશે.
ઉમેદવારો મૂકાયા ચિંતામાં
હાલ આ મામલે યુનિવર્સિટી પણ ચિંતામાં મૂકાઈ છે મહત્વની વાત તો એ છે કે જે ઉમેદવારો ઘરે બેસીને પરીક્ષા આપે છે તે લોકોને વધારે તકલીફ પડી રહી છે.જો હાલમાં એડમિશન આપી દેવામાં આવે તો ભવિષ્યમાં જયારે ડિગ્રી આપવાની આવે ત્યારે ફરી નવી બબાલ શરૂ થાય એમ છે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સત્તાધીશો આ બાબતે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી.6 મહિના જેટલો સમય થયો છે પણ જે એકસ્ટર્નલ કોર્સ શરૂ કરવામાં આવે તે શરૂ કરાયો નથી.









