સાયલા તાલુકાના ખીંટલા ગામે રહેતા પરિવારમાં બાળકનો જન્મ થયા બાદ તેને જન્મજાત હ્રદયરોગ ની બીમારી હોવાનું નિદાન થતાં માતા-પિતા ચિંતાતુર બન્યા હતા.આ બાબતે સાયલા આરોગ્ય વિભાગની RBSK મેડિકલ ઓફ્સિર ટીમના ડૉ.જયંતિભાઇ દુમાદીયા તથા ડૉ. સોનલબા પરમાર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવા સાથે અમદાવાદ શહેર ખાતેની યુ.એન.મહેતા હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરાવી સફ્ળતાપૂર્વક સારવાર કરી આપતા પરિવાર દ્વારા આરોગ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો હતો.



  • Follow us on: