શક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઇ ગયું છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવશે.













