Siddhpur: ઉ.ગુજરાત સિંધી સમાજના પ્રમુખ તરીકે વરણી થતા કેબિનેટમંત્રી દ્વારા સન્માન


સિદ્ધપુર ભાજપના આગેવાન, સિદ્ધપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સિંધી સમાજના અગ્રણી નારીભાઈ લાલુમલ લસ્સીવાળાની ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ તરીકે વરણી થતાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે શાલ ઓઢાડી સન્માન કરી સમાજસેવાનો વ્યાપ વધારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

તેમજ સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોરે બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપ અગ્રણી શંભુભાઈ દેસાઈ, સિદ્ધપુર શહેર યુવા ભાજપ પ્રમુખ મિહીરકુમાર પાધ્યા સહિત મોટીસંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા


  • Follow us on: