• રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ
  • ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
  • વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર : CM

નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે સવારે 9 વાગ્યે ધ્વજવંદન કર્યું છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને સંબોધન કર્યું છે. જેમાં 118 કરોડના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. જેમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિકાસકામોનાં ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

[[$googlead]]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં સંબોધન કરતા જણાવ્યું છે કે ભારતને અર્થવ્યવસ્થામાં ત્રીજા ક્રમે પહોંચાડીશું. વિકસિત ભારતની આગેવાની લેવા ગુજરાતનો નિર્ધાર છે. ભારતની પહેલી સેમીકંડક્ટરની ચીપ ગુજરાતમાં બનશે. નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઇ છે. જેમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે વિરાસતથી વિકાસએ ગુજરાતનો મંત્ર છે. આદિકાળથી ગુજરાતમાં વેપાર વાણિજ્યની ઓળખ છે. 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂઆત થઈ હતી. મફત વીજળી યોજના અંતર્ગત 10 લાખ મકાનો જોડાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું છે.

[[$alsoread]]

ગુજરાતમાં સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ

ગુજરાતમાં સાડા સાત લાખ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે CMની જાહેરાત છે. જેમાં પરિવારની માસિક આવક મર્યાદામાં વધારો કર્યો છે. તેમજ માસિક આવક 15 હજારથી વધારી 20 હજાર કરાઇ છે.


  • Follow us on: