સુરતમાં સૌથી લાંબા રેલવે અંડરપાસનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે,જેમાં લીંબાયત-ડીંડોલીને જોડતો આ રેલવે અંડરપાસ છે.જેમાં લીંબાયત-ડીંડોલી તથા આસપાસના સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કેમકે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી મુક્તિ મળશે અને અંડરપાસની બંને તરફે ભૂગર્ભ સંપ બનાવાયા છે અને વિશેષ ફાયર ફાઈટિંગ સિસ્ટમનું કરાયું છે ઈન્સ્ટોલ.


[[$googlead]]

સુરત-ભુસાવલ રેલવે લાઈન પર બન્યો છે અંડરપાસ

લિંબાયત-ડીંડોલી રેલવે અંડરપાસનું નિર્માણ 60 કરોડ રૂપિયાના ખર્ચ કરવામાં આવ્યું છે. અંડરપાસમાંથી પસાર થતા વાહનચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે “હિટેડ વેન્ટિલેટર એરકંડિશન (HVAC) સિસ્ટમ” ફીટ કરવામાં આવી છે. અંડરપાસ ખુલ્લો મૂકાતા દરરોજ અંદાજે 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે.અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લિટરની બે વિશાળ ટાંકીઓ બનાવાઈ છે.

[[$alsoread]]

હજારો વાહન ચાલકોને ફાયદો થશે

લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા માટે વાહન ચાલકોને લાંબો ચકરાવો કાપવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા 2020માં 60 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર રાજ્યમાં પહેલી વખત સૌથી અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કર્યું હતું.બંને વિસ્તારો વચ્ચે અવર-જવર કરનારા હજારો વાહન ચાલકોને ભારે રાહત મળશે.

 

  • Follow us on: