• પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ ઘટના સામે આવી
  • બસમાં બેસેલા મુસાફરોમાં ડર નો માહોલ જોવા મળ્યો
  • અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરાઈ
હજી ગઈકાલે જ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ આજે બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આજે બપોરના સુમારે અંબાજી બસ સ્ટેન્ડથી પાલનપુર જતી બસ ઉપર અંબાજી-દાંતા હાઇવે માર્ગ પર પાંછા નજીક એસ. ટી. બસ પર પથ્થરમારો થયો હતો. બસમાં બેસેલા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

આ અંગેની માહિતી અનુસાર, અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પર પાંછા નજીક પથ્થરમારાની ઘટના સામે આવી છે. બસના ડ્રાઇવર કંડક્ટર દ્વારા અંબાજી ડેપો મેનેજર અને પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ પોલીસની ગાડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.અંબાજીથી પાલનપુર જતી એસટી બસ પાંછા નજીક કોઈ અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યો હતો.

તેમજ પથ્થરમારો કરાતા એકાએક બસનો આગળનો મુખ્ય કાચ તૂટી ગયો હતો. જેના કારણે બસ ડ્રાઇવર દ્વારા બસને તાત્કાલિક રોકવામાં આવી હતી અને બસમાં બેસેલા તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. બસમાં બેસેલા તમામ મુસાફરોમાં આ ઘટનાને લઈને ડરનો માહોલ છવાયો હતો. એસટી બસના ડ્રાઇવર દ્વારા અંબાજી બસ ડેપો મેનેજર અને અંબાજી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

આ પછી તાત્કાલિક અંબાજી પોલીસ ઘટનાએ દોડી આવી હતી અને આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. ત્યારે અંબાજી પોલીસે ઘટનાસ્થળેથી 3 બાઇક કબજે કરી અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. એસટી બસને પણ અંબાજી પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. અંબાજી-દાંતા હાઇવે પર પાંછા અને ધાબાવાળીવાવ વચ્ચે આ બનેલી ઘટનામાં બસમાં બેસેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
  • Follow us on:

[[$googlead]]