• શહેરના સાંઈનાથ રોડ પર તળાવને જોડતા અંડર ગ્રાઉન્ડ કાંસમાં પાણીનો ભરાવો

  • તાલુકાના અંતરિયાળ ગામોને મૂંઝવતા જટીલ પ્રશ્નો વિશે ત્વરિત કામગીરી હાથ ધરાય
  • હેતુથી MLA દ્વારા લેખિતમાં રજૂઆત

પેટલાદ તાલુકાના ચાર અંતરીયાળ ગામોમાં મહીસિંચાઈની કેનાલ ઉપર આવેલા જૂના અને જર્જરીત નબળા નાળાને નવનિર્મિત કરવા તથા તાલુકામાંથી પસાર થતા કાંસની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી નાગરિકોની પ્રબળ માગને ધ્યાનમાં લઈને અગાઉ ચોમાસા પહેલા ત્વરિત કામગીરી હાથ ધરાઈ તે માટે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલે કાર્યપાલક ઈજનેર પેટલાદ વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે.

પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામ પાસે પસાર થતી બ્રાન્ચ કેનાલના નાળાને તથા વિરોલ રોડ ઉપર આવેલા ગેટવાળા નાળા અને દાવલપુરા પાસે શાખા નહેર ઉપર આવેલ 50 વર્ષ જૂનો ફૂટ ઓવરબ્રીજ જે સાંકડો જેથી અકસ્માત થવાની ભીતિ છે. જેથી આ સાંકડા અને જર્જરિત નાળાને નવનિર્મિત કરતાની તાકીદે જરૂર હોઈ ત્વરિત કામગીરી કરવા ધારાસભ્યએ લેખિત ભલામણ કરી છે.

બીજી તરફ તાલુકાના અંતરિયાળ ગામોમાંથી પસાર થતા કાંસમાં ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે જેથી રોકાઈ રહેલા પાણી અસહ્ય દુર્ગધ મારે છે. સાથે ખેતીને નુકસાન કરે છે. જેથી સફાઈ જરૂરી છે. ઉપરવાસના કાંસમાં સાફસફાઈ ન થવાથી પેટલાદ શહેર સાંઈનાથ રોડ પર આવેલ રાધેકુંજથી માલવ તળાવને જોડતા અન્ડર ગ્રાઉન્ડ કાંસમાં પાણીનો ભરાવો થાય છે. જે ચોમાસા દરમિયાન બે ફૂટ રોડ પર પાણી ભરાઈ જાય છે. આ કાંસની સફાઈ કામગીરી સમય માગે તેવી હોઈ પ્રિમોન્સુન કામગીરી દરમિયાન પૂર્ણ ન થાય. જેથી તત્કાળ કામગીરી હાથ ધરવા રજૂઆત કરાઈ છે.


  • Follow us on: