સુરતમાં આવાસ યોજનાના નામે 66.64 લાખની ઠગાઈ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારની 9 મહિલાઓ પાસે ઠગ ત્રિપુટીએ આવાસ અપાવવાનું કહી રૂપિયા 66.64 લાખ પડાવ્યા હતા. ઠગબાજોએ આવાસ ન અપાવી હાથ અધ્ધર કર્યા હતા. સમગ્ર ઘટના માલે મહિલાઓએ અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી
છે.મળતી માહિતી મુજબ, સુરતના વેસુ વિસ્તારમાં ગઠિયાએ પોતાને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારીઓ સાથે સંપર્ક છે તેવું કહીને લોકોને મકાન અપાવવાનું કહીને લોકો પાસેથી અલગ અલગ રકમ લીધી હતી. ત્યાર બાદ લોકોને વાયદા કરીને મકાન અપાવ્યું નહોતું તથા મકાનના નામે લીધેલી રકમ પણ પરત કરી ન હતી જે બાદ 9 મહિલાઓએ સમગ્ર મામલે અલથાણ પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.













