- ઉધનાથી નવી ટ્રેનો ઉનાળુ વેકેશનમાં દોડશે
- પ્રવાસીઓ માટે નવી 6 ટ્રેન ઉપલબ્ધ કરાશે
- યાત્રિકોને સ્ટેશન પર ભાગદોડ ના કરવા અપીલ
આજે ઉદ્યના સ્ટેશન પર થયેલી ભીડને લઇ સી.આર.પાટીલે મહત્ત્વની જાહેરાત કરી છે. જેમાં આજે ઉધના રેલવે પર ભીડ થઈ હતી. ત્યારે સી.આર.પાટીલે જણાવ્યું છે કે રેલવે મિનિસ્ટર સાથે વાત કરી છે. જેમાં 6 વધારાની ટ્રેન દોડાવાશે. તમામ ટ્રેન ઉત્તર પ્રદેશ તથા બિહાર માટે હશે. તેમજ 6 નવી ટ્રેન મળશે તેથી લોકો ભીડ ના કરે. આજે ઉધના સ્ટેશન પર ભીડ ઉમડતા ભાગદોડ મચી હતી. લોકોની તાબિયત પણ બગડી હતી. તથા તમામ લોકોને ત્યાં જ સારવાર પણ અપાઈ છે.
સુરતના પ્રવાસીઓ માટે નવી 6 ટ્રેન ઉપલબ્ધ કરાવાઇ
સુરતમાં રહેતા લોકોને ઉનાળુ વેકેશનમાં બહારગામ જવા મુશ્કેલી ના પડે તે માટે સી.આર.પાટીલ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સી.આર.પાટીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉનાળુ વેકેશનમાં 6 ટ્રેન સુરતથી દોડાવાશે. તેમાં સુરતના પ્રવાસીઓ માટે નવી 6 ટ્રેન ઉપલબ્ધ કરાવાઇ છે. ઉધનાથી નવી ટ્રેનો ઉનાળુ વેકેશનમાં દોડશે. તથા યાત્રિકોને સ્ટેશન પર ભાગદોડ ના કરવા સી.આર.પાટીલની અપીલ છે.
પશ્ચિમ રેલવેએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે માટે ટ્રેન દોડાવી
અગાઉ ઉનાળુ વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે હેતુથી સુરત-બ્રહ્મપુર, ઉધના- માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી હતી. જેમાં સુરત બ્રહ્મપુર એક્સપ્રેસ સ્પેશ્યિલ ટ્રેનનો નંબર 09069-09070 છે. આ ટ્રેન સુરત-બ્રહ્મપુર-સુરત એક્સપ્રેસ વચ્ચે તા. 17 અને 24 એપ્રિલ ઉપરાંત 1, 8, 15, 22, 29 મે અને 5, 12, 19 અને 26 જૂનના રોજ દોડશે. આ ટ્રેન સુરતથી ઉપડશે. તે ત્રીજા દિવસે બ્રહ્મપુર પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન 19 અને 26 એપ્રિલ, 3, 10, 17, 24, 31 મે અને 7, 14, 21, 28 જૂનના રોજ બ્રહ્મપુરથી રવાના થઈને બીજા દિવસે સુરત પહોંચશે.
આ તમામ ટ્રેનોમાં રિઝર્વેશન કોચ હશે. આ ટ્રેનો વધારાના ભાડા સાથે દોડશે
આ ઉપરાંત મુંબઇ સેન્ટ્રલ વારાણસી એક્સપ્રેસ નં. 09183-09184 મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને ત્રીજા દિવસે વારાણસી પહોંચશે. આ ટ્રેન 17 અને 24 એપ્રિલ,1, 8, 15, 22, 29 મે અને 5, 12, 19 અને 26 જુનના રોજ મુંબઈથી ઉપડશે. રિટર્નમાં આ ટ્રેન 19 અને 26 એપ્રિલ, 3, 10, 17, 24, 31 મે અને 7, 14, 21, 28 જૂનના રોજ વારાણસીથી ઉપડશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત અને વડોદરા સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે. આ તમામ ટ્રેનોમાં રિઝર્વેશન કોચ હશે. આ ટ્રેનો વધારાના ભાડા સાથે દોડશે.









