- અવાક અને જાતિના દાખલા માટે પુણામાં વધારાનું જન સુવિધા કેન્દ્ર શરૂ
- સામાન્ય કરતા ત્રણ ગણી અરજી આવતા નિર્યણ લેવાયો છે
- સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર થઇ
સુરતમાં વરાછા વિસ્તારમાં આવકના દાખલા માટે લોકોને હાલાકી મામલે જનસુવિધા કેન્દ્ર સવારે 7થી રાતના 12 વાગ્યા સુધી શરૂ રખાશે. જેમાં અવાક અને જાતિના દાખલા માટે પુણામાં વધારાનું જન સુવિધા કેન્દ્ર શરૂ કરાશે. સામાન્ય કરતા ત્રણ ગણી અરજી આવતા નિર્યણ લેવાયો છે.
સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર થઇ
સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર થઇ છે. જેમાં સુરતમાં આવકના દાખલા માટે વધારાનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે. તેમાં પુણા વિસ્તારમાં વધારાનું જન સુવિધા કેન્દ્ર શરૂ કરાશે. તેમાં સવારે 7થી રાતના 12 વાગ્યા સુધી કેન્દ્ર શરૂ રહેશે. સામાન્ય કરતા 3 ઘણી અરજી દાખલા માટે આવી છે.
વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત
તેમજ વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા ઘસારો રહે છે. તેમાં કલેકટરે જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે. જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો
તાજેતરમાં અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગૂ કરાય તેવું લોકો જણાવી રહ્યાં છે.









