સુરત શહેરમાં આવેલા સરથાણા વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે બે વર્ષની માસૂમ બાળકીનું મોત થયું હતું. માતા-પિતા આઠ માસથી લંડનમાં રહેતા હોવાથી મૃતક બાળકી પોતાના દાદા સાથે રહેતી હતી. અકસ્માતમાં બાળકીના મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદના વતની અને હાલમાં શહેરમાં સરથાણા વિસ્તારમાં શ્યામધામ મંદિર પાછળ આવેલી શિવધારા સ્કાયલાઈટ બિલ્ડિંગમાં રહેતા સાગરભાઈ સાવલિયાને સંતાનમાં બે વર્ષની માસૂમ દીકરી મિસરી અને આઠ વર્ષની ધ્રીયા નામની એમ બે દીકરી છે. બંને દીકરીના માતા-પિતા છેલ્લા આઠ માસથી રોજી-રોટી માટે લંડનમાં સ્થાયી થયા છે. એટલે બંને બહેનો હાલમાં દાદા જતીનભાઈ સાથે રહે છે.













