સુરેન્દ્રનગર સહીત સમગ્ર રાજયમાં બોર્ડની પરિક્ષાના પરીણામો જાહેર થયા છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પુરક પરીક્ષાની તૈયારી શરૂ કરાઈ છે. અગાઉ ધો. 10માં 3 અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં બે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયમાં નાપાસ થયેલ કે ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓ માટે પુરક પરિક્ષા આપી શકતા હતા. પરંતુ આ વર્ષથી બોર્ડના પરીક્ષાર્થી ઈચ્છે તો તમામ વિષયોની પરીક્ષા આપી શકે છે. આગામી જુન માસમાં લેવાનાર પુરક પરીક્ષા માટે છે. જેમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે.


ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલ બોર્ડની પરિક્ષાના પરિણામો તાજેતરમાં જાહેર થયા છે. દર વર્ષે વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહીં તે માટે શિક્ષણ બોર્ડ પુરક પરીક્ષા લે છે. અગાઉ ધો. 10માં 3, ધો. 12 સામાન્ય પ્રવાહમાં બે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોમાં ગેરહાજર રહેનાર કે નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પુરક પરીક્ષાનું આયોજન કરાતુ હતુ. પરંતુ આ વર્ષે બોર્ડ દ્વારા વિદ્યાર્થી ઈચ્છે તો તમામ વિષયોની પરીક્ષા ફરીથી આપી શકે તે માટે બેસ્ટ ઓફ ટુ યોજના અમલી બની છે. જેમાં નાપાસ થયેલા, ગેરહાજર રહેનાર ઉપરાંત પોતાના પરીણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થી તમામ વિષયોની પરીક્ષા આપી શકે છે. આગામી જુન માસમાં લેવાનાર પુરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી હોવાનું જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝાએ જણાવ્યુ છે. જેના માટે ધો. 10 માટે તા. 13 થી 20 મે અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ તથા સમાન્ય પ્રવાહ માટે તા. 12મીથી 19મી મે દરમિયાન ફોર્મ ભરી શકાશે. પુરક પરીક્ષા માટે ફોર્મ બોર્ડની વેબસાઈટ પર શાળા દ્વારા જ ભરવામાં આવશે. ફોર્મ ટપાલથી કે રૂબરૂ ભરી શકાશે નહી. સામાન્ય રીતે દર વર્ષે ધો. 10, ધો. 12 સામાન્ય પ્રવાહ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા જુલાઈ માસમાં યોજાતી હતી. પરંતુ ગત વર્ષથી જુન માસમાં પુરક પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવામાં આવી રહી છે.

કન્યા-દિવ્યાંગ છાત્રોને પરીક્ષા ફીમાંથી મુક્તિ

બોર્ડની પુરક પરિક્ષામાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફીમાંથી મુકતી અપાઈ છે. જોકે, આ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવુ ફરજિયાત છે તેવુ પણ બોર્ડ દ્વારા જણાવાયુ છે.

ગત વર્ષ કરતાં વહેલા/મોડા

જાહેર થયેલ પરિણામો

ધોરણ વર્ષ 2024 વર્ષ 2025 વહેલુ/મોડુ

ધોરણ 10 11-05-2024 08-05-2023 03 દિવસ વહેલુ

12 સામાન્ય પ્રવાહ 09-05-2024 05-05-2023 04 દિવસ વહેલુ

12 વિજ્ઞાન પ્રવાહ 09-05-2024 05-05-2023 04 દિવસ વહેલુ

ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલ છાત્ર સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપી શકશે

શિક્ષણ બોર્ડના જણાવાયા મુજબ ધો. 10ની પરીક્ષામાં બેઝીક ગણિત સાથે પાસ થયેલ વિદ્યાર્થી પુરક પરિક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત સાથે પરિક્ષા આપી શકશે. બેઝીક ગણિત સાથે ધો. 10માં પાસ થયેલ વિદ્યાર્થી ધો. 11 સાયન્સમાં બી ગ્રુપમાં જ પ્રવેશ લઈ શકે તેવો નીયમ છે. જો આ વિદ્યાર્થીઓએ ધો. 11 સાયન્સમાં એ અથવા એબી ગ્રુપમાં પ્રવેશ મેળવવો હોય તો સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા આપવી ફરજિયાત છે.

વિદ્યાર્થી તમામ વિષયની પરીક્ષા આપે તો બેસ્ટ ઓફ ટુ માન્ય રહેશે

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક કે.એન.બારોટે જણાવ્યુ કે, બોર્ડ દ્વારા પરીણામોમાં બેસ્ટ ઓફ ટુ સીસ્ટમ જાહેર કરાઈ છે. જેમાં ઓલ સબ્જેકટની પરીક્ષા છાત્ર બીજીવાર આપે તો માર્કશીટમાં બન્ને પરીક્ષાના પરીણામો આવશે. જેમાં બેસ્ટ ઓફ ટુ માન્ય રહેશે.


  • Follow us on: