અમદાવાદ હાટકેશ્વર બ્રિજને લઈ કોર્પોરેશને ફરી વાર ટેન્ડર બહાર પાડયું છે, બ્રિજ તોડવાને લઈ ફરી ટેન્ડર બહાર પાડયું છે, 9.31 કરોડની બેઝ પ્રાઈઝ સાથે ટેન્ડર બહાર પડાયું છે, જેમાં 22 મેના રોજ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ નક્કી કરાઇ છે, અગાઉ 110 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો હતો અને બ્રિજ તોડી નવો બ્રિજ બનાવવાનું ટેન્ડર બહાર પડાયું હતું, કોર્પોરેશન નવો બ્રિજ બનાવવાના 4 ટેન્ડર બહાર પડી ચૂકી છે. 40 કરોડમાં બ્રિજ તૈયાર કરાયો હતો.
40 કરોડના ખર્ચે અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો હતો
વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાકોન દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા 40 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી પાડવા માટે 9.31 કરોડ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.ત્યારે શહેરીજનોને પડેલી હાલાકી, કરોડો રૂપિયાનો માનવશ્રમ અને સરકારી મશીનરીનો વ્યય એ બધાની તો કોઇ વાત થાય એમ જ નથી તેવું લાગી રહ્યું છે, લોકોને તકલીફ પડી રહી છે એ વાત કોણ માનશે !
વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો હતો
હાર્ટકેશ્વર બ્રિજને લઇને સ્થાનિકોની પીડા સમજતાં હોવા છતાં હોદ્દેદારો જાણી જોઇને ઝડપી કામગીરી કરતા નહીં હોવાનો આક્ષેપ કરતાં મ્યુનિ.વિપક્ષે કહ્યું કે, બ્રિજના કામમાં થયેલા ભ્રષ્ટ્રાચારને કારણે નબળો અને હલકી કક્ષાનો હોવાનું બહાર આવ્યા પછી શાસકપક્ષ ભીનું સંકેલવામાં પડયો છે. આશ્ચર્ય ની વાત એ છે કે, AMC પાસે આઇ.એ.એસ. તથા નિષ્ણાંત ઇજનેરોની ફોજ હોવા છતાં મ્યુનિ.હોદ્દેદારો હજી પણ મુંઝવણમાં છે, એટલે જ કોઇ સ્પષ્ટતા કરતા નથી. બ્રિજ બનાવવા માટે કોઇ નક્કર આયોજન પણ નથી. નવો બ્રિજ કયારે બનીને તૈયાર થઇ જશે ? તે અંગે કોઇ ટાઇલલિમીટ આપી શકતા નથી. વર્ષ 2017માં બ્રિજ બન્યો હતો અને વર્ષ 2022થી બ્રિજ બંધ કરાયો છે.









