- યાત્રિકો માટે આરોગ્ય, પાણી, સ્વચ્છતાની કાળજી લેવાશે : કલેક્ટર
- સામાજિક આગેવાનો, અન્નક્ષેત્રના સંચાલકોને યોગ્ય પ્રત્યુતર ન મળ્યાનો આક્રોશ
- બેઠકમાં રીતસરની બોલાચાલી થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
ગિરનાર પરિક્રમા તા.4 નવેમ્બરના રોજ રાતના 12 વાગ્યાથી વિધિવત પ્રારંભ થશે. અને તા.8 નવેમ્બર ના રોજ પૂર્ણ થશે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ગઈકાલે શુક્રવારે બપોરે જિલ્લા કલેકટર રચિત રાજ ના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો અને સામાજિક, રાજકીય આગેવાનો, અધિકારીઓની એક બેઠક મળી હતી.
જેમાં ભવનાથ તીર્થક્ષેત્રના હરીગીરી મહારાજ, ઈન્દ્રભારતી બાપુ, શૈલેજાદેવી સહિતના સાધુ સંતોની ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, આ વર્ષે ગિરનાર પરિક્રમા ઐતિહાસિક બની રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ગિરનાર પરિક્રમા જૂનાગઢના ટુરીઝમ વિકાસ માટેનો પણ એક અવસર બની રહેશે.










