• બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની 3,000 બહેનો કુરિવાજોને બંધ કરાઈ

  • 28મીએ પાટણમાં સંમેલન યોજી તિલાંજલિ આપશે
  • બેબી શાવર જેવી ખર્ચાળ અને સહિત કુરિવાજો બંધ કરવા સંકલ્પ કરાશે

સમગ્ર ગુજરાતભરમાં હાલમાં દરેક સમાજમાં પ્રિવેડીંગ ફોટોશૂટ, હલ્દીરીમ, રિસેપ્શન, બેબી શાવર સહિતની ખર્ચાળ અને દેખાખેદી માટે શરૂ થયેલી સામાજિક પ્રથાઓ સહિતના કુરિવાજોના કારણે સામાજિક પ્રસંગોમાં ખર્ચ વધી રહ્યો છે ત્યારે આવી પ્રથાઓ બંધ કરવા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ મહિલા સંગઠનની બહેનો મક્કમ થઈ છે અને સમાજમાં યોજતા શુભ અશુભ પ્રસંગે કવર આપવાની પ્રથા બંધ કરવા પણ ઉત્તર ગુજરાતના 53 ગામોમાં આ બાબતે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ અભિયાનમાં ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, કચ્છ, રાજકીટ અને મુંબઈમાં રહેતી પાટીદાર સમાજની બહેનો પણ જોડાવાની છે ત્યારે પાટણમાં રિવાજ પાર્ટીપ્લોટમાં 28મી મે ના રોજ વિશાળ મહીલા સંમેલન યોજીને 3000થી વધુ બહેનો નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો સામૂહિક સંકલ્પ લેવાની છે. તેમજ સમાજે જે રીતે કુરિવાજો બંધ કરવા વર્ષ 1958માં સામાજિક બંધારણ તૈયાર કર્યું હતું તે રીતે 15 વર્ષ પછી પ્રથમવાર વર્ષ 2023માં પાટીદાર બહેનો સામાજિક બંધારણ તેયાર કરવા જઈ રહી છે.

બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠનના અગ્રણી અનીતાબેન પટેલે જણાવ્યું હતું કે અમારા પૂર્જોએ જે પરંપરા, જે રિવાજો શરૂ કર્યા હતા તે બધા બરાબર હતા તેમાં અમે કોઈ સુધારો કે વધારો કરવાના નથી અમે તો છેલ્લા 20થી 25 વર્ષમાં ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈને લગનમાં પ્રિવેડીંગ ફોટોશૂટ, હલ્દી રસમ, ડીજે પાર્ટના દેખાડા પાછળ કરાતા ખર્ચ અને રિસેપ્શન, હવન, સગાઈ જેવા પ્રસંગોને કવર આપવા લેવા, મરણ પ્રસંગે સોનાના દાગીના આપવો, પુત્ર પુત્રીના જન્મ વખતે પેડાના બદલામાં પૈસા આપવા, મોટી રકમના મામેરા ભરવા જેવા રિવાજો પહેલાં કયારેય નહોતા આ નવી પેઢીએ ઉમેરેલા છે. નવા રીવાજોથી સુખી સંપન્ન પરિવારોને ફરક નથી પડતો પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોએ સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે પણ કમને ખર્ચ કરવા પડતા હોય છે એટલે અમે સમાજમાં આવા નવા શરૂ થયેલા ખર્ચ બંધ કરવા માંગીએ છીએ. સોમવારે મહિલા સંગઠનની ટીમની ધારાસભ્ય કિરીટભાઈ પટેલની ઓફિસમાં એક બેઠક મળી હતી જેમાં અનિતાબેન પટેલ, મધુબેન પટેલ, શારદાબેન પટેલ, ગાયત્રીબેન પટેલ, મણીબેન પટેલ, હસુમતિબેન પટેલ, કાંતાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: