• પહેલી વાર સરકારે નિષ્ણાંત ડૉક્ટરો સાથે કરી ચર્ચા
  • યુ.એન.મહેતાના ડાયરેક્ટર ચિરાગ દોશી કમિટીના હેડ બનાવાયા
  • કમિટીમાં ડૉ.જયેશ શાહ, ડૉ.ગજેંદ્ર દૂબે અને ડૉ.પુજાબેનનો સમાવેશ
રાજ્યમાં વધતા હાર્ટ એટેકથી મોતના મામલે સરકાર એક્શનમાં આવી છે. નોંધનીય બાબત છે કે રાજ્યમાં નવરાત્રિ દરમિયાન 36 લોકોના હાર્ટ એટેકના કારણે મોત થયા છે. જે પછી સરકારે તાત્કાલિક ધોરણે કમિટી બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે સરકારે નિષ્ણાંત ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે અને હાર્ટ એટેકનું કારણ શોધવા કમિટીની રચના કરવામાં આવી છે.

આ માટે રાજ્યના નિષ્ણાંત ડૉક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટીમાં યુએન મહેતા હોસ્પિટલના ડૉક્ટર સામેલ કરવામાં આવ્યા છે તેમજ અન્ય નિષ્ણાંત ડૉકટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે યુ.એન.મહેતાના ડાયરેક્ટર ચિરાગ દોશી કમિટીના હેડ બનાવાયા છે જ્યારે કમિટીમાં ડૉ.જયેશ શાહ, ડૉ.ગજેન્દ્ર દૂબે અને ડૉ.પુજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે રાજ્ય સરકારે કેબિનેટ બેઠક બાદ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટના વધી રહી છે તેના માટે નિષ્ણાંત ડૉક્ટરોની કિમિટી રચવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિવિધ વરિષ્ઠ ડૉક્ટરોને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ ડૉક્ટોરની ટીમ દ્વારા યોગ્ય એનાલિસિસ કરવામાં આવશે.

AMA દ્વાર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી 

રાજ્યના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. જેના માટે AMAના તબીબોએ રિસર્ચની માંગ કરી છે. પહેલીવાર નવરાત્રીમાં હાર્ટ એટેકથી 36 લોકોના મોત થયા છે. તેમજ સીવીયર એટેક ઘાતક હોવાથી તબીબોની રિસર્ચની માગ છે. સતત વધેલા હાર્ટ એટેકના કેસને લઈ તબીબોમાં ચિંતા છે.

ગુજરાતમાં નવરાત્રિ દરમ્યાન હાર્ટ એટેકથી 36 મોત થયા છે. જેમાં 9 દિવસમાં હાર્ટ એટેકે 36 લોકોનો ભોગ લીધો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં 9 દિવસમાં 16, દ.ગુજરાતમાં 15નાં મોત થયા છે. તેમજ અમદાવાદમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ગરબા રમતી વખતે, કામ કરતી વખતે એટેક આવ્યા છે. સારવારનો સમય ન મળે એટલી ઝડપથી સિવિયર એટેક આવી રહ્યાં છે. નવરાત્રિમાં સાંજે 6થી રાતના 2 સુધી હૃદયરોગના 766 કેસ સામે આવ્યા છે.

  • Follow us on:

[[$googlead]]