- પાલખી યાત્રા માટે તડામાર તૈયારીઓ
- નર્મદા આરતી અને રાત્રે લાઇટિંગનો નજારો જોવા મળશે
- મહાદેવના મંદિરથી નર્મદા ઘાટ સુધી લાઇટિંગ કરવામાં આવ્યું છે
પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ ના મંદિરે ભાતીગળ મેળાની શરૂઆત ચૈત્ર વદ તેરસથી શરૂ થઈ છે. ત્યારે ખાસ કરીને અમાસના દિવસે ભારે ભીડ થતી હોય છે ત્યારે અમાસના દિવસે ભારે ભીડ ઉમટે તેને શક્યતાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ખાસ કરીને શૂલપાણેશ્વર મહાદેવના મંદિરે લાઈનમાં વધારવા માટે ઉપર મંડપ બનાવવામાં આવ્યો છે જેથી કરીને શ્રાદ્ધાળુઓ લાઈનમાં ઊભા રહે તો તડકો લાગે, સાથે સાથે આરોગ્ય વિભાગની ટીમ થી લઈને ટ્રાફ્કિ પોલીસ પણ તેના જ કરી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી બન્યા બાદ નર્મદા નદી કિનારેના કોરિડોરનો વિકાસ કરવામાં આવ્યો છે.
મહાદેવના મંદિરથી નર્મદા ઘાટ સુધી લાઇટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે દરરોજનર્મદા ઘાટ વર નર્મદા મહાઆરતી થાય છે ત્યારે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરના મેળામાં આવનારા શ્રાદ્ધાળુઓને મહાદેવના દર્શન ની સાથે સાથે નર્મદા આરતી અને રાત્રી દરમ્યાનની લાઇટીંગ નો નજારો જોવા મળશે.










