• ખાનગી કંપની દ્વારા PPP મોડલ પર તૈયાર થયેલા ઓક્સિજનપાર્કનું લોકાર્પણ કર્યુ
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર રહ્યા ઉપસ્થિત
  • ઓકિસજન પાર્કમા રનિંગ ટ્રેક બનાવાયો

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસ માટે ગુજરાતી મુલાકાતે છે,ત્યારે આજે અમિત શાહ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે,પહેલું લોકાર્પણ અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ ઓકસિજન પાર્ક અને તળાવનું કર્યુ છે.સાથે સાથે આવતીકાલે તોઓ પરિવાર સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે.

મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે

[[$googlead]]

અમિત શાહ સંસદીય ક્ષેત્રમાં ત્રણ વિધાનસભા બેઠકમાં સાત જેટલા વિવિધ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના બેઠકમાં આવતા થલતેજ ખાતે ઓક્સિજન અને તળાવના લોકાર્પણ કરીને થલતેજ વાસીઓ માટે ખુલ્લું મૂકયુ છે. તેમજ વેજલપુર વિધાનસભા બેઠકમાં હરિયાળા લોકસભા અંતર્ગત મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે મકરબા ખાતે વૃક્ષારોપણ કરશે.

[[$alsoread]]


AMCના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમિત શાહના હસ્તે

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ વિસ્તાર પ્રહલાદનગર ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આધુનિક સુવિધાથી સજ્જ સ્વિમિંગ પુલનો લાભ વેજલપુર, પ્રહલાદનગર, આનંદનગર, સરખેજ, મકરબા તેમજ આજુ બાજુના લોકોને મળશે. તેમજ પ્રહલાદનગર પાસે AMC વિકાસ કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે.


નારણપુરા મામલતદાર કચેરીનું કરશે લોકાર્પણ

નારણપુરા વિસ્તારમાં ભીમજીપુરા ખાતે નવી આકાર પામેલી નારણપુરા મામલતદાર કચેરીનું લોકાર્પણ કરશે. આમ તો હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને તત્કાલીન ગુજરાતના સરકારના ગૃહમંત્રી રહેલા અમિત શાહ નારણપુરા સાથે જૂનો નાતો રહ્યો છે. ત્યારે આજે સાંજે નારણપુરા વિધાનસભા કાર્યકરો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન પણ કરશે.


  • Follow us on: