દિવાળીના તહેવારોમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં મનપાનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી તે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું શુભારંભ કરાવ્યો હતો. 


કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ દિવાળી ટાણે ગુજરાતનાં પ્રવાસે છે. દિવાળીના દિવસે બોટાદમાં  સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે નિર્માણ પામેલા અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ હતું. જ્યારે આજે અમદાવાદમાં મનપાનાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપી અને PPP મોડલ પર તૈયાર કરેલા 'વેસ્ટ ટુ એનર્જી' પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે.

[[$googlead]]
  • કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદની મુલાકાતે
  • અમિત શાહ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન
  • 1 મેટ્રિક ટન કચરાનો દરરોજ થશે નિકાલ
  • દર કલાકે 15 મેગાવોટ વીજળીનું થશે ઉત્પાદન
  • PPP ધોરણે શરૂ થઈ રહ્યો છે પ્લાન્ટ

 સાળંગપુરમાં ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું

[[$alsoread]]

જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે દિવાળીનાં શુભ અવસર પર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી મહારાજનાં દર્શન અને પૂજા કરી હતી અને દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ-કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ અત્યાધુનિક ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તેમ જ મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દાદાનાં આશીર્વાદ સાથે મેં દિવાળીની ઉજવણી કરી છે. દાદાના ખજાનામાં કોઈ કમી નથી.

  • Follow us on: