સાવલીના ભાદરવા ખાતે શ્રી નવકુંડાત્મક નવચંડી મહાયજ્ઞનુ આયોજન ચૈત્ર સુદ નોમને તા.6ઠ્ઠી એપ્રિલને રવિવારે કરવામા આવ્યુ છે. આ મહાયજ્ઞ શ્રી ચેહર જોગણી માતાજીનો મઢ, શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે યોજાનાર છે.


સત્યસ્વરૂપ સંત હરીદાસજી મહારાજ, પ.પૂ.ગુરૂદેવ મહંત રમેશજી મહારાજ ( પૂ. ગુરૂજી ) , પ.પૂ. મહંત વિજયજી મહારાજ દ્વારા યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. યજ્ઞનો પ્રારંભ તા.6ઠ્ઠીના રોજ સવારે 8.15 કલાકે થશે. જ્યારે પૂર્ણાહુતી ( શ્રીફળ હોમવાનો સમય ) સાંજે 5.15 કલાકે થશે.

 ગણેશ સ્થાપન તેમજ જ્વારાની સ્થાપના ચૈત્ર સુદ બીજ તા.31મીને સોમવારે સવારે 9.15 કલાકે થશે. તા.6ઠ્ઠીના રોજ રાત્રે 10.15 કલાકે જાગરણ તેમજ જ્વારાના વળામણા તા. 7મી એપ્રિલના રોજ સવારે 7.15 કલાકે થશે. જેમા મોટી સંખ્યામાં માઇભક્તો ઊમટશે.


  • Follow us on: