• વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી
  • પાદરાના વીરપુર, મેઢાદ, હુસેપુર સહિત કોઠવાડા ગામો પ્રભાવિત થયા
  • SDRFની ટીમ મેઢાદથી હુસેપુર રવાના થઈ છે

વડોદરામાં વિશ્વામિત્રી નદિના પાણી પાદરા તાલુકાના ગામમાં આવતા પૂરની અસર થવા પામી હતી. પાદરાના વીરપુર, મેઢાદ, હુસેપુર સહિત કોઠવાડા ગામો પ્રભાવિત થયા હતા. હજુ પણ પાણી ઉતર્યા ન હતા. જેમાં SDRFની ટીમ મેઢાદથી હુસેપુર રવાના થઈ છે. જેમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.

વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી

[[$googlead]]

વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા ન હતા. જેના કારણે પાદરા તાલુકાના વિશ્વામિત્રી નદી કિનારાના ગામોમાં તેની સીધી અસર થવા પામી હતી. પાણી નહીં ઉતરવાના કારણે પાદરાથી કરજણનો રોડનો સંપૂર્ણ વાહન વ્યવહાર ખોરવાયો હતો. તેમજ તમામ ગામોમાં પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારના લોકોના જન જીવન પ્રભાવિત થયા હતા. આ વિસ્તારમાં પાણી ભરાતા પશુપાલકોને હાલાકી પડી હતી. લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી, મેઢાદ ગામમાં પણ પાણી ભરાયા હતા જેમાં ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી હતી.

[[$alsoread]]

હુસેપુર ગામ તરફ SDRF-9 વડોદરાની ટીમ રવાના થઈ

ભારે વરસાદથી પશુપાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. હુસેપુર અને કોઠવાળા ગામ સંપર્ક વિહોણા થયા હતા. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં આવી હતી અને મેઢાદ ગામેથી હુસેપુર ગામ તરફ SDRF-9 વડોદરાની ટીમ રવાના થઈ હતી.


  • Follow us on: