પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 16 ડિસેમ્બર, 2024 (સોમવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.


અમદાવાદ ડિવિઝનમાંથી જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 16.12.2024ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરી શકશે

અમદાવાદ ડિવિઝનમાંથી રેલવે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, અમદાવાદ ડિવિઝન પશ્ચિમ રેલવે, જીસીએસ હૉસ્પિટલની સામે અમદુપુરા અમદાવાદમાં 14.11.2024 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો. જો કોઈ પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરવા માંગે છે, તો તે આપેલ ઈમેલ ID- [email protected]પર પણ અરજી કરી શકે છે.


  • Follow us on: