• આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લીયે આયુર્વેદ અભિયાન હેઠળ

  • આ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ પ્રદર્શની સહિત કાર્યક્રમ યોજાયો હતો
  • મહેમાનોને પુષ્પ ગુચ્છ અને આયુષ કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા

આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ અભિયાન હેઠળ મહેસાણા ખાતે આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમા યજ્ઞ અને ધનવંતરી પૂજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમ અંતર્ગત આયુર્વેદ પ્રદર્શની સહિત કાર્યક્રમ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામા મુલાકાતીઓ એ લાભ લીધો હતો. મહેસાણા જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત આયુર્વેદ ફેર વન હેલ્થ અને હર દિન હર કિસીકે લિયે આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા મહેસાણા દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-2023ના સંદર્ભે યજ્ઞ અને ધનવંતરી પુજનનું સફ્ળતાપુર્વક આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં આરોગ્યમંત્રી ગુજરાત રાજ્ય ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ અન્ય મહાનુભાવો, પદાધિકારી વગેરેની હાજરીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી. મહેમાનોને પુષ્પ ગુચ્છ અને આયુષ કીટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. આરોગ્યમંત્રી દ્વારા ધનવંતરી ભગવાનની પૂજા-અર્ચના કરાઈ હતી. આ ઉપરાંત સંહિતા દર્શન, નિશા-આમલકી શોટ્સનું પેય વિતરણે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતુ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીથી કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં અન્ય પ્રવૃત્તિ જેવી કે, વિવિધ આયુર્વેદ-હોમિયોપથી પ્રદર્શની, દિનચર્યા, ઋતુચર્યા, સ્ટેનડી, સૂકા દ્રવ્ય નિદર્શન વગેરે પ્રવૃત્તિએ પણ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતુ. આ ઉજવણીને સારો પ્રતિસાદ મળ્યો હતો.


  • Follow us on: