• પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ સાત વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

  • ઓલ્ડ રાજિન્દર નગરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે
  • પોલીસ દ્વારા આ કેસમાં અગાઉ પાંચની ધરપકડ કરાઈ હતી

રવિવારે દિલ્હીનાં રાવ કોચિંગ સેન્ટરનાં બેઝમેન્ટમાં અચાનક પાણી ભરાઈ જવાથી 3 વિદ્યાર્થીઓનાં મોત થયા પછી સરકાર એક્શનમાં આવી છે.

ઓલ્ડ રાજિન્દર નગરમાં કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ સામે બુલડોઝર એક્શન લેવામાં આવી રહ્યું છે. સ્થળ પર સ્થાનિક અધિકારીઓ અને પોલીસનો ખડકલો કરાયો છે. જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. MCDનાં અધિકારીનાં જણાવ્યા મુજબ રેમ્પ અને બિલ્ડિંગમાં વધારાનું બાંધકામ કરીને જ્યાં દબાણ કરાયું છે અને નાળા પૂરી દેવામાં આવ્યા છે ત્યાં ખોદકામ કરવા બે બુલડોઝર કામે લગાડાયા છે. પોલીસ દ્વારા આ કેસમાં અગાઉ પાંચની ધરપકડ કરાઈ હતી. બીજી બે વ્યક્તિને પકડવામાં આવતા કુલ સાતની ધરપકડ કરાઈ છે. જેમાં બેઝમેન્ટનાં માલિક, એક SUV વાહનનાં ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

એમસીડી દ્વારા તપાસ માટે એક વિશેષ સમિતિ રચવામાં આવી

સત્તાવાળાઓ દ્વારા 13 કોચિંગ ક્લાસનાં બેઝમેન્ટને સીલ કરવામાં આવ્યા છે. રાવ કોચિંગ ક્લાસિસનાં બેઝમેન્ટમાં પાણી ભરાતા 3 વિદ્યાર્થીનાં મોત થયા પછી ઘટનાની તપાસ માટે MCD દ્વારા સમિતિ રચાઈ છે. 13 કોચિંગ સેન્ટર સીલ કરાયા છે જેમાં આઈએએસ ગુરુકુળ, ચહલ અકાદમી, પ્લુટસ અકાદમી, સાંઈ ટ્રેડિંગ, IAS સેતુ, ટોપર્સ અકાદમી, દૈનિક સંવાદ, સિવિલ્સ ડેઈલી IAS, કરિયર પાવર, 99 નોટ્સ, વિદ્યા ગુરુ, ગાઈડન્સ IAS તેમજ ઈઝી ફોર આઈએએસનો સમાવેશ થાય છે. જ્યાં દુર્ઘટના થઈ ત્યાં બેઝમેન્ટમાં ડ્રેનેજ સિસ્ટમ ન હતી. સ્ટોરેજ માટે મંજૂરી અપાઈ હતી તેનો દુરુપપોગ કરીને ત્યાં લાઇબ્રેરી બનાવાઈ હતી.


  • Follow us on: