• ઉલ્ટી અને પેટમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલમાં દાખલ કરાયાં

  • રસોઇયા અને શિક્ષકો સ્થાનિક લોકોનો આક્રોશ જોઇને શાળામાંથી ભાગી ગયા
  • ભોજનમાં પડી ગયું હતું કેરોસીન

પશ્ચિમ ચંપારણના બાંસગાંવ પરસૌની ગામે આવેલી શાળામાં સોમવારે મધ્યાહન ભોજન આરોગ્યા પછી 171 બાળકો બીમાર પડી ગયા હતા. ભોજન પછી ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. બાળકો બીમાર પડતાં શાળામાં દોડધામ મચી ગઇ હતી. વાલીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા. બાળકોને રામનગર પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાંચ વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર માલૂમ પડતાં તેમને બેતિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાળકો સાજા થઇ ગયા હતા તેમને રજા અપાઈ હતી.

ભોજનમાં પડી ગયું હતું કેરોસીન

મળતી જાણકારી મુજબ ભોજનમાં કેરોસીન પડી ગયું હતું. તે ભોજન જ બાળકોને પિરસવામાં આવ્યું. કેસની તપાસ કરીને દોષિતોને સજા થશે તે નક્કી છે. બાળકોને ભોજનમાં કેરોસીનની વાસ આવી રહી હોવાથી તે ખાવા ઇનકાર કરી રહ્યા હતા પરંતુ શાળાના શિક્ષકો અને આચાર્યએ વિદ્યાર્થીઓને બળજબરી ભોજન ખવડાવ્યું હતું. થોડી વારમાં જ બાળકોને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા હતા. પેટમાં દુખવા લાગ્યું હતું તો ચક્કર આવવા લાગ્યા હતા.

તપાસના આદેશ ।

આ કેસમાં ડીઇઓને 24 કલાકમાં તપાસ કરીને તપાસ અહેવાલ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. કેરોસીન ત્યાં કઇ રીતે પહોંચ્યું તેની તપાસ કરવા પણ કહેવામાં આવ્યું છે. અહેવાલ આધારે દોષિતો સામે પગલાં લેવામાં આવશે. મધ્યાહન ભોજન શાળામાં જ તૈયાર થયું હતું.


  • Follow us on: