• કુલ 10,933 એન્કાઉન્ટર થયાં

  • સૌથી વધારે એન્કાઉન્ટર મેરઠમાં થયાં
  • કુલ 13 પોલીસકર્મીઓએ જીવનું બલિદાન આપ્યું

યુપીની યોગી સરકાર ઝીરો-ટોલરન્સ નીતિ હેઠળ ગુનેગારોની કમર ભાંગવામાં વ્યસ્ત છે. ઉમેશ હત્યાકાંડ પછી 'માફિયાઓં કો મિટ્ટી મેં મિલાને'વાળો યોગીનો હુંકાર થયા બાદ અતિક અહમદના પુત્ર અસદને એસટીએફે ગુરુવારે બપોરે એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો. યુપીની યોગી સરકારમાં છેલ્લા છ વર્ષોમાં અત્યાર સુધીમાં કુલ 10,933 પોલીસ-ગુનેગારોની અથડામણો થઈ હતી. જેમાં કુલ 183 કુખ્યાત ગુનેગારોનું એન્કાઉન્ટર કરી દેવાયું. પોલીસની ગોળીથી ઘવાયા બાદ 5,046 બદમાશોની ધરપકડ થઈ છે તો અત્યાર સુધીની અથડામણોમાં 23,348 ગુનેગારો પકડાયા છે. જોકે, ગુનેગારો સાથેના સામસામા ગોળીબારમાં કુલ 13 પોલીસકર્મીઓએ જીવનું બલિદાન આપ્યું છે, તો, 1,443 પોલીસ ઘાયલ થયા હતા.

સૌથી વધારે એન્કાઉન્ટર મેરઠમાં થયાં

પોલીસની ગુનેગારો સાથેની સૌથી વધારે અથડામણો મેરઠ ઝોનમાં થઈ છે. આ જિલ્લામાં છેલ્લા છ વર્ષમાં 3,205 અથડામણ થઈ, જેમાં 64 ગુનેગારોનો સફાયો કરી દેવાયો, તો 1,708 ઘાયલ થયા. આ અથડામણોમાં એક પોલીસનું મૃત્યુ થયું અને 401 પોલીસ ઘાયલ થયા હતા. પોલીસે 5,967 ગુનેગારોની ધરપકડ કરી હતી. આગરામાં 1,844 એન્કાઉન્ટર થયાં, જેમાં 14 ગુનેગારો ઠાર મરાયા, જ્યારે 4,654ની ધરપકડ કરવામાં આવી.


  • Follow us on: