• જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના
  • માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે
  • રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) થયેલા એક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. જમ્મુ કાશ્મીર કિશ્તવાર રોડ પર ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈ જતી ક્રૂઝ કાર આ અકસ્માતમાં ભોગ બનતા સાત લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

આ અકસ્માતની પુષ્ટિ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાણકારી આપતા કહ્યું, હમણાં જ ડીસી કિશ્તવાડ ડૉ. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.

આર્મીનું હેલિકોપ્ટર પણ અકસ્માતનો ભોગ બન્યું હતું
કિશ્તવાડમાં બનેલી આ દર્દનાક દુર્ઘટના પહેલી ઘટના નથી. તાજેતરમાં, થોડા દિવસો પહેલા, આર્મીનું એક હેલિકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં ફ્લાઈટ ટેકનિશિયનનું મૃત્યુ થયું હતું અને બે પાઈલટ ઘાયલ થયા હતા. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ ટેકનિશિયન અનિલનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. સેનાના ઉત્તરી આર્મી કમાન્ડરે ટ્વીટમાં જાણકારી આપી હતી, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને ઉત્તરી કમાન્ડના તમામ રેન્કોએ કિશ્તાવાડ પાસે ALH MK3ની ઉડ્ડાન દરમિયાન અને ફરજ પર CFN (AVN ટેક) પબ્બલ્લા અનિલ કેનેના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

  • Follow us on: