• મુંબઈના ભૂતપૂર્વ પો. કમિ. દત્તાત્રેય પડસાલ્ગીકર સીબીઆઈ તપાસનું સુપરવિઝન કરશે

  • 42 SIT દ્વારા તપાસ : સમિતિ સીબીઆઈ, પોલીસ દ્વારા કરાતી તપાસથી અલગ ઘટના તપાસશે
  • સ્થિતિની સમીક્ષા કરવા પ્રયાસો

સોમવારે સુપ્રીમ કોર્ટમાં મણિપુર હિંસા મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા હિંસક ઘટનાઓની તપાસ માટે હાઈકોર્ટનાં 3 નિવૃત્ત મહિલા જજની સમિતિ બનાવવામાં આવી છે. સમિતિ દ્વારા રાહત અને પુનઃવસનની કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે. આ સમિતિ સીબીઆઈ તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી તપાસના કેસોથી અલગ ઘટનાઓની તપાસ કરશે. આ ઉપરાંત 42 SIT દ્વારા તપાસ કરાશે. DIG કક્ષાના ઓફિસર દ્વારા તપાસ પર દેખરેખ રખાશે. ત્રણ સભ્યોની મહિલા સમિતિમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટનાં નિવૃત્ત ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ, જસ્ટિસ આશા મેનન અને જસ્ટિસ શાલિની પનસાકર જોશીનો સમાવેશ કરાયો છે. સીબીઆઈ તપાસની દેખરેખ મહારાષ્ટ્રનાં પૂર્વ ડીજીપી દત્તાત્રેય પડસાલગીર દ્વારા કરાશે.

સ્થિતિની સમીક્ષા કરવા પ્રયાસો

સુનાવણી વખતે સરકાર વતી એટર્ની જનરલે કહ્યું હતું કે અમે ઘટનાની બુનિયાદી સ્તરે તપાસ કરી રહ્યા છીએ અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. અમે પણ રાજ્યમાં શાંતિ સ્થપાય તેમ ઈચ્છીએ છીએ. કોઈપણ ભૂલ ગંભીર અસરો સર્જી શકે છે. એટર્ની જનરલે કહ્યું કે ગુનાની તપાસ માટે 6 જિલ્લા માટે સિનિયર પોલીસ અધિકારીઓને સામેલ કરીને 6 SIT રચવામાં આવી છે. હિંસા, અશાંતિ અને નફરત ફેલાવતી ઘટનાઓમાં મહિલાઓ સામે ગુનાની તપાસ માટે મહિલા પોલીસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.

મણિપુરમાં 3 રેપ, 72 મર્ડર અને 4000થી વધુ લૂંટ

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં છેલ્લા 3 મહિનામાં હિંસા વખતે રેપની 3 ઘટનાઓ બની છે. 72 મર્ડર થયા છે અને 4000થી વધુ લૂંટની ઘટનાઓ બની છે. 4694 FIR કરવામાં આવી છે. મહિલાઓ પર હુમલા અને જાતીય સતામણીનાં 6 કેસ કરાયા છે. પૂજા સ્થળોનાં નાશ માટે 46 FIR કરાઈ છે.


  • Follow us on: